Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભાવનગરનાં ભંડારીયા ગામ પાસે શેત્રુંજી નદીના પટ્ટમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

ભાવનગર તા. ૭ :..  ભાવનગર જીલ્લાની શેત્રુંજી નદીના પટ્ટમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. વનખાતાએ સ્થળ પર દોડી જઇ સિંહનો મૃતદેહ કબ્જે  લઇ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં ભંડારીયા ગામ નજીક શેત્રુુંજી નદીના પટ્ટમાં અર્ધ તરતો સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગનાં સ્ટાફે ઘટના  સ્થળે દોડી જઇ સિંહનો મૃતદેહ કબ્જે કરી શેત્રુંજી ડેમ નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો છે. જયાં જોઇન્ટ પી. એમ. કરવામાં આવશે.

મૃત્યુ નિપજયાનું કારણ જાણવા માટે લેબોરેટરી ટેસ્ટિંગની ગતિવિધી પણ હાથ ધરાઇ હોવાનું આર. એફ. ઓ. જી. આર. પંડયાએ જણાવ્યું છે.

ભાવનગર, પાલીતાણા ફોરેસ્ટ ખાતાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. સિંહના શરીર ઉપર કોઇ શંકાસ્પદ નિશાન જોવા મળ્યા નથી. સિંહની ઉમર ૧૦ થી ૧ર વર્ષની હોવાનું અનુમાન છે. સામાન્ય રીતે સિંહની ઉમર ૧પ થી ૧૮ વર્ષની હોય છે. આમ વૃધ્ધ અવસ્થાનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.

(11:56 am IST)