Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ભાવનગર માં કોરોનાથી 11ના મોત અને ૩૯૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૨૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૫૯૧ કેસો પૈકી ૪,૫૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૩૯૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૬,૩૯૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૮૨ પુરૂષ અને ૧૦૭ સ્ત્રી મળી કુલ ૨૮૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૪, ઘોઘા તાલુકામાં ૭, તળાજા તાલુકામાં ૨૪, મહુવા તાલુકામાં ૭, વલ્લભીપુર તાલુકામાં ૧, પાલીતાણા તાલુકામાં ૩, સિહોર તાલુકામાં ૧૪, ગારીયાધાર તાલુકામાં ૧૮ તેમજ જેસર તાલુકામાં ૧૪ કેસ મળી કુલ ૧૦૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ પાલીતાણા ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં દેવળીયા ગામ ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં ઠળીયા ગામ ખાતે રહેતા એક દર્દી અને ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૧ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૨૫ અને તાલુકાઓમાં ૧૦૪ કેસ મળી કુલ ૩૨૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૬,૫૯૧ કેસ પૈકી હાલ ૪,૫૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:52 pm IST)