Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના કાર્યકરો દ્વારા ફેલાવાતી હિંસા બંધ કરોઃ રાઘવજી પટેલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૭ :.. જામનગર ગ્રામ્યનાં ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલે બંગાળ રાજયમાં ચાલી રહેલી હિંસાખોરીને વખોડી કાઢતા જણાવેલ છે કે, પશ્ચિમ બંગાળના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વીણી વીણીને મારવામાં આવે છે. તેમના મકાનો તથા  ધંધાના સ્થળોને તોડફોડ કરવામાં આવી રહેલ છે. ત્યારે સમગ્ર ભારતમાં ચૂંટણી પરિણામો બાદ આવી હિંસા ફેલાવી હોય તેવુ માત્ર પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ છે. ટીએમસી પક્ષના કાર્યકરો દ્વારા ચાલી રહેલી આ હિંસક પ્રવૃતિ ફેલાવી રહેલ છે. ત્યારે આ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી. ગુંડા ગીર્દી અંગે નાગરીકોને જાણકારી મળી રહે તે માટે આજરોજ ધ્રોલ ખાતે એક પ્રેસ  કોન્ફરન્સ રાખીને મમતા બેર્નજીની ટી. એમ. સી. પાર્ટીની આ પ્રવૃતિને વખોડી કાઢેલ છે. અને તાકીદે પશ્ચિમ બંગાળમાં શાંતીની સ્થાપના કરીને લોકશાહીના મુલ્યોની જાળવણી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

આ પ્રસંગે ધ્રોલ એ. પી. એમ. સી. ના પૂર્વ ચેરમેન રસીકભાઇ ભંડેરી, ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ નવલભાઇ મુંગરા, ધ્રોલ શહેર ભાજપના પ્રમુખ મગનભાઇ ભોજાણી સહિતના કાર્યકરોએ હાજરી આપી હતી.

(1:07 pm IST)