Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

જામનગરમાં કોરોનાના કાલે વધુ ૭૨૯ કેસ પોઝિટિવ નોંધાયાઃ ૧૭ દર્દીના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: શહેર- જિલ્લામાં કાલે પણ ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો ૭૦૦ને પાર જ રહયો છે. ગઇકાલે ગુરૂવારે જામનગર શહેરમાં ૩૯૭ અને જિલ્લાના ગ્રામ્યમાં ૩૩૨ મળી ગઇકાલે છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાનો કુલ આંકડો ૭૨૯ સામે આવ્યો છે. જામનગર શહેરમાં ૩૦૧ દર્દીઓ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૭૭ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે. કાલે જામનગર શહેરમાં ૯ મોત અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૮ મોત સતાવાર રીતે જાહેર કરાયા છે.

(12:46 pm IST)