Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટ

મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા ઉનાળાનો માહોલ જામ્યો

રાજકોટ તા.૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી અસહય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે અને આકરા ઉનાળાની અસર વર્તાઇ રહી છે.

વહેલી સવારથી જ ગરમીની અસર વધતા ઉનાળાની અસર જામવા લાગી છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગી છે.

બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા ધોમધખતા તાપનો અનુભવ થાય છે.

ઉનાળાની અસર વધતા એસી અને પંખાનો વપરાશ વધવા લાગ્યો છે અને લોકો બપોરના સમયે ઘરનું બહાર નીકળવાનું ટાળે છે.

બપોરના સમયે રસ્તાઓ સુમસામ   બની જાય છે અને પ્રારંભથી જ આકરા ઉનાળાનો અહેેસાસ થવા લાગ્યો છે.

જામનગરમાં ૯.પ ડીગ્રી

જામનગર : જામનગરમાં આજે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજનું હવામાન ૩૭.૭, ૯.પ લઘુતમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.પ પ્રતિ કલાકની પવનની ગતિ રહી હતી.

(3:56 pm IST)