Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભઃભાવનગર શહેર અને જિલ્લાના ૮૨૦૦૩ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

પરીક્ષાના આગલા દિવસે બેઠક વ્યવસ્થા નિહાળવા માટે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

ભાવનગર, તા.૭:-  જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ બોર્ડની પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૨૦૮ કેન્દ્ર પર ધો.-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. જેમાં ધોરણ-૧૦ના કુલ ૫૩,૧૧૭ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨(સા.પ્ર)માં ૨૨,૯૨૮ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ (વિ.પ્ર)માં ૫૯૫૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે આજ તા. ૬ માર્ચથી- એટલે કે પરીક્ષાના એક દિવસ પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે

પરીક્ષાઓના સુચારૂ સંચાલન માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પરીક્ષાની વિડિયોગ્રાફી પણ કરાશે, તદુપરાંત, પરીક્ષામાં બેસનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ બોર્ડની પરીક્ષામાં ગેરરીતીઓ અટકે અને તટસ્થ પરીક્ષા યોજાય, એ માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ સ્થળ સંચાલકોને નિર્દેશ આપ્યા હતા. આ માટે જિલ્લાના ચાર અતિસંવેદનશીલ અને ૧૪ સંવેદનશીલ કેન્દ્રોની વિગતો આપી, તમામ અતિસંવેદનશીલ કેન્દ્રોની જવાબદારી વર્ગ-૧ તથા ૨ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી હોવાનું શિક્ષણાધિકારીશ્રએ ઉમેર્યું હતું.

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર જઈને બેઠક વ્યવસ્થા નિહાળી હતી.(૨૨.૩)

(11:52 am IST)