Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વન વિભાગના વર્ગ-રના અધિકારીઓની બદલી

મોરબીમાં કે.ડી. ગોહિલ, સાવરકુંડલામાં તનવાણી, કોટડાસાંગાણીમાં ગમારાની નિમણૂંક

રાજકોટ તા.૭: વનવિભાગ દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી કક્ષાના વર્ગ-રના રપ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

વાંકાનેરના વી.ડી. ગોહિલ, મોરબી, બજાણા, (ધ્રાંગધ્રા) ના સી.વી. સાણજા મોરબી, દ્વારકાના ભૂપેન્દ્રકુમાર ડાભી પોશીના (સાબરકાંઠા), ખાંભાના સી.જી. દાફડા ગિર સોમનાથમાં, વડોદરાના પુનાભાઇ રાઠોડ ચૂડામાં, સાસણના વિપુલકુમાર ચૌધરી ભૂજમાં, તળાજાના કિંજલ જોષી સાવલી વડોદરામાં, રાજકોટના યુ.વી. તનવાણી સાવરકુંડલામાં, દસક્રોઇના બી.સી. બ્રહ્મભટ્ટ આર.એન્ડ. ડી. સેન્ટર રાજકોટમાં, કુકાવાવના એમ.એ. ગમારા કોટડા સાંગાણી જામવાળા (ગિર)ના વી.જે. જાડેજા ઉપલેટામાં અને દલખાણીયા રેન્જ (ગિર)ના શ્રીમતી ઋચી દવે કેવડિયા વેલી ફલાવર્સમાં નિયુકત થયા છે.

(11:52 am IST)