Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

કોટડાસાંગાણીમાં કોમી એકતાના દર્શન હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે શહિદોને શ્રધ્ધાંજલી પાઠવી

કોટડાસાંગાણી, તા.૭:- કોટડાસાંગાણીમા હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તાજેતરમાંજ પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં શહિદ થયેલા સીઆરપીએફના જવાનોને બે મીનીટ મૌન પાડિ શ્રધ્ધાંજલી પાઠવી હતી.જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ભારતીય જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઈ છે. અને ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ કરી હુમલામાં શહિદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાંજલી આપવામા આવી રહી છે ત્યારે કોટડાસાંગાણીમા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આતંકિ હુમલામા શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી પાઠવવા બે મીનીટ મૌન પાડિ શ્રધ્ધાંજલી પાઠવી કોમી એકતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ કોટડાસાંગાણી તેમજ તાલુકાના લોકોને હવે બસ સ્ટેન્ડ સામેજ પાનકાર્ડ આઈટી રીટર્ન અરજી સહિતની કામગીરીનો તાલુકામા લાભ મળી શકસે. ત્યારે તાલુકા પંચાયત અધ્યક્ષ મુન્નાભાઈ રાયજાદા નાયબ મામલતદાર સી જી પારખીયા વિપક્ષ નેતા પ્રતિપાલસીંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવ યુવા પ્રમુખ ધર્મેન્દ્રસીંહ જાડેજા ગોંડલના પુર્વ ધારાસભ્ય ચંદુભાઈ વદ્યાસીયા તાલુકા પંચાયતમા પુર્વ પ્રમુખ રાજેશભાઈ સાવલીયા સરપંચ ભનાભાઈ ચૌહાણ આર એફ ઓ જેઠવાભાઈ કોટડાસાંગાણીના પીઢ પત્રકાર બશીરભાઈ બાંગા સલીમભાઈ બાંગા અગ્રણી વિનુભાઈ ઠુંમર પુર્વ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શૈલેસભાઈ સોરઠિયા. અબ્દુલ્લાભાઈ પારેખ ઈબ્રાહીમભાઈ બાંગા નીતેશ પરમાર હરસુખભાઈ સોલંકિ હરેશ મેટારીયા મેરામભાઈ ઝાંપડા મહારાણા સ્કૂલ આચાર્ય પ્રદિપસીંહ જાડેજા રાજપરા સરપંચ કિશોર વિરડિયા સભ્ય નરપતસીંહ જાડેજા સોળીયા સરપંચ નરપતસીંહ જાડેજા શૈલેસભાઈ વદ્યાસીયા બાબુભાઈ સાવલિયા કિશાન સંદ્ય પ્રમુખ ધર્મેશ સોરઠિયા આગેવાન હરદેવસિંહ જાડેજા મુળરાજસીંહ જાડેજા જયપાલસીંહ જાડેજા  અકબરભાઈ પરમાર કલ્પેશ ભાઈ સોની મહેશ પરમાર જીગ્નેશભાઈ ભુત રવિરાજસીંહ જાડેજા વિપુલ માલકિયા રવિ રામાણી મયુરધ્વજસીંહ જાડેજા કન્યા તાલુકા શાળાના આચાર્ય પ્રીયેસભાઈ ટીટીયા સહીતના રાજકિય સમાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૪)

 

(11:37 am IST)