Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ધોરાજીમાં પાલીકાની પાણીની પાઇપ લાઇન લીકેજ, ઉભા પાકને નુકશાન

ધોરાજી : અહીયા નગરપાલીકાની પાઇપ લાઇન લીકેજ થતા ભુખી ચોકડી પાસે શાંતીલાલ છગનભાઇ રાદડીયાની જમીનમાં ડુંગળીના વાવેતરમાં સતત પાણી રહેતા હોવાની નુકશાન થયુ હતું. આ અંગે રાજકોટ જીલ્લા કલેકટર, ચીફ ઓફીસર અને નગરપાલિકા નિયામકને રજુઆત કરી નુકાસાની પેટે રૂ. ૪૦ હજારનું વળતર મંગાયુ છે. પાણીની લાઇન અવારનવાર લીકેજ થતી હોવાથી અનેક વખત રજુઆતો કરવા છતાં પણ કોઇએ ધ્યાન દીધુ ન હોવાનો આક્ષેપ થયો છે. તસ્વીરમાં ખેતરમાં ભરાયેલુ પાણી દર્શાય છે.

(1:06 pm IST)