Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ગોંડલના ગુંદાળામાં કાજલબેન મકવાણાનો ફાંસો ખાઇ આપઘાત

રીબ ગામે છાપરેથી પટકાતા પ્રૌઢ શ્રમીકનું મોત

ગોંડલ તા.૭: ગોડલના ગુંદાળા ગામે વણકર પરિણિતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતી કાજલબેન નરેશભાઇ મકવાણા વણકર ઉમર વર્ષ ૩૦ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસના જમાદાર વિપુલભાઇ ગુજરાતીએ તપાસ હાથ ધરી હતી કાજલબેનને સંતાન બે પુત્રી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ગોડલના રીબ ગામે ભગવાનજીભાઇના મકાને છાપરાના પતરા ફિટ કરતી વેળાએ છાપરેથી પટકાતા શ્રમીક સમયસીંગ વશરામભાઇ કટારીયા (ઉ.વ.૫૫)ને ગંભીર ઇજા થતા હોસ્પીટલે ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ જમાદાર એન.જે.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)