Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પોરબંદરમાં સીડી પરથી પડી જતાં ખારવા વૃધ્ધ જાદવભાઇનું મોત

રાજકોટ તા. ૭: પોરબંદરના દ્વારા ફળીયા ખારવાવાસમાં રહેતાં જાદવભાઇ ગોવિંદભાઇ વાંદરીયા (ઉ.૮૨) નામના ખારવા વૃધ્ધ પાંચ દિવસ પહેલા પોતાના ઘરમાં સીડી પરથી પડી જતાં માથા-હાથમાં ઇજા થતાં પોરબંદર, જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે કાગળો કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જાદવભાઇ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(10:21 am IST)