Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

બોટાદના રાણપુરમાં ધાર્મિક પરિસરમાં અસામાજિક તત્વોએ ઈંડા ફેંકી શાંતિ ડોળવા પ્રયાસ કરતા આક્રોશ

બે દિવસમાં આરોપીઓ નહિ ઝડપાઇ તો આંદોલનની ચીમકી

બોટાદના રાણપુર શહેરમાં ધાર્મિક પરિસરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી શાંતિ ડોળવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર ઘટનાને લઈને હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

  આ મામલે હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. અને બે દિવસમાં આરોપીઓ નહીં ઝડપાઇ તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પોલીસે પણ ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે

(9:53 pm IST)