Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ધંધુકા પાંજરાપોળમાં સૂકા ઘાસનો પડેલો જથ્થો આગમાં ભસ્મીભૂત થતા પશુઓનો નિભાવ ઉપર ખતરો

વઢવાણ,તા.૭:ધંધુકા ખાતે એકા એક અગમ્ય કારણો વરસાદ સૂકા દ્યાસ ના જથ્થામાં વિકરાળ આગ લાગેલ હતી ત્યારે અમદાવાદ બગોદરા ચોટીલા લીંબડી સહિતના ફાયર ફાઇટરો સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી અને મહામહેનતે આગને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ લાગેલા આગમાં પશુઓની કોઈ જાનહાનિ થયેલ નથી સમય સુચકતા વાપરી અને પશુઓને અન્ય જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા હતા ત્યારે લાગેલ આગમાં પશુઓ માટે પડેલા સુક્કા ચારો બળીને રાખ થઇ જવા પામ્યો છે ત્યારે ધંધુકા પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા તાત્કાલિક અસરે પશુઓના નિભાવ માટે લીલા સુકાચારા માટે ટહેલ નાંખવામાં આવી છે ત્યારે જીવદયા પ્રેમીઓ આગળ આવી. મદદે આવે તેવી લોક માંગણી.

(12:59 pm IST)