Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સાવરકુંડલામાં સેવા સહકારી મંડળીના હોદેદારોની વસુલાત માટે મીટીંગ મળી

સાવરકુંડલા તા.૭ : અહિંના ગાંધી ધર્મશાળાના હોલમાં સાવરકુંડલા તાલુકાના સેવા સહકારી મંડળીના પ્રમુખ તથા મંત્રીશ્રીઓની એક મીટીંગ ધીરાણ અને વસુલાતની ચર્ચા કરવા માટે મળી હતી.

ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન નાનુભાઇ વાધાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા સાવરકંુડલાના યાર્ડ ડીરેકટર દિપકભાઇ માલાણી, વાઇસ ચેરમેન મનજીભાઇ તળાવીયા, સંઘના ડીરેકટર કરમશીભાઇ ડોબરીયા, જનરલ મેનેજર  ચલાણયા, સાવરકુંડલાના બ્રાંચ મેનેજર પંડયા અધિકારીઓ તથા નાનુભાઇ વાધાણીએ આ મીટીંગમાં વીમા પ્રિમીયમ બાબતે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત મંડળીને વ્યાજખાદ્ય ઓછી પડે અને મંડળીને મજબુત બને તે માટે દિપકભાઇ માલાણીએ સુચન કરેલ જેને સ્વીકારવાનું નકકી કરેલ.

આ તકે અમદાવાદ રાજય સહકારી સંઘમાં ડીરેકટર તરીકે બિનહરીફ ચુંટાયેલા બેંકના ચેરમેનનું શાલ ઓઢાડી સન્માન કરેલ આ પ્રસંગે અનુબાપુ હરીયાણી તથા કરમશીભાઇ કાનાણી હાજર રહયા હતા.

(12:55 pm IST)