Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જસદણ પાલીકામાં સભ્યપદેથી ત્રીજુ રાજીનામું: રાજકીય નવાજુનીના એંધાણ

આટકોટ, તા., ૭: જસદણ પાલીકામાં બે દિવસ દરમિયાન ર સભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ વોર્ડ નં. પ ના વધુ એક મહિલા સદસ્યએ રાજીનામું આપી દેતા રાજકીય નવાજુનીના એંધાણ વર્તાઇ રહી છે.

વોર્ડ નં. પ ના સદસ્ય અનિતાબેન એ. રૂપારેલીયાએ ચીફ ઓફીસરશ્રી અને પાલીકા પ્રમુખને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પાલીકામાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ આજદિન સુધી કોઇ તપાસ થયેલ નથી. જેથી રાજીનામું આપું છુ. (૪.૧૩)

 

(3:44 pm IST)