Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુરેન્દ્રનગરના રતનપરમાંથી ૨ યુવકો લાપતા

ભોપાલની ટ્રેનમાં બેસી જતા શોધખોળ

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાંથી બે યુવાનો ગુમ થતાં પરિવારમાં રોકકડ થઇ છે. બંને યુવાન મુસ્લિમ પરિવારના હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરના રતનપરના બે લોકો ગઇકાલ સાંજથી ગુમ થતાં પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. બંને સુરેન્દ્રનગર જંકશનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને ભોપાલ ટ્રેનમાં ગયા હોવાની આશંકા છે.

સુજાન કુરેશી અને માઇન ખલીફા બંને યુવાન રતનપર વિસ્તારનાં રહેવાસી છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જંકશનના સીસીટીવી ફૂટેજ પોલીસ અને પરિવાર દ્વારા ચેક કરાવવામાં આવતા ભોપાલ ટ્રેનમાં બેસીને ગયા હોવાની આશંકા છે. પોલીસ અને પરિવાર દ્વારા બંને યુવાનોની શોધખોળ શરૂ કરાઇ છે.(૨૧.૨૦)

 

(3:25 pm IST)