Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

તોરણીયા નકલંકધામમાં બીજની ઉજવણી સંતવાણી લોકડાયરો

 ધોરાજી નજીક આવેલ તોરણીયા ગામે સંતશ્રી સેવાદાસબાપા આશ્રમ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર નકલંકધામ ખાતે પ.પૂ. ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુના સાનિધ્યમાં મહાબીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ લોકડાયરો સંતવાણીના કાર્યક્રમમાં પુનશી ગઢવી, રામદાસ ગોંડલીયા, બિરજુ બારોટ, અમુદાન ગઢવી સહિતના કલાકારોએ જમાવટ કરી હતી. ઉપરોકત તસ્વીરમાં સંતવાણી અને લોકસાહિત્ય રસ પિરસતા અમુદાન ગઢવી સહિતના કલાકારો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તીરામબાપા, પૂ. રાજેન્દ્રદાસબાપુ અને તેમના સેવક જશકુભાઇ ડાંગર, પત્રકાર રેનીશ મહેતા અને ભાવિકો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:33 am IST)