Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રણમલપુર ગામે સમસ્ત ગુજરાત વરમોરા પરિવારનું તૃતિય સ્નેહમિલન યોજાયુ

વઢવાણ તા. ૭ : હળવદ તાલુકાના રણમલપુર ગામે સમસ્ત ગુજરાત વરમોરા પરિવારનો તૃતિય સ્નેહમિલન રંગેચંગે સ્નેહમિલનના અધ્યક્ષ અનિલભાઇ લાલજીભાઇ વરમોરા (મોરબી) જાણીતા ઉધોગ પતિ પ્રકાશભાઇ વરમોરા (સુરેન્દ્રનગર) પરિવારના મોભી પરસોતમભાઇ જીવરાજભાઇ રવજીભાઇ નથુભાઇ સહીત મહાનુભાવોની હાજરીમા રંગેચંગે યોજાયો હતો.

ઉમિયા માતાજીની સ્તૃતિ અર્ચના બાદ ગુજરાતમાંથી આવેલ વરમોરા પરિવારના અતિથીઓનુ પરંપરાગત સ્વાગત કરવામા આવેલ પ્રસંગ અનુરૂપ પ્રવચન કરતા યુવા અધ્યક્ષ અનિલભાઇ વરમોરાએ યુવાનોને વ્યસન મુકત બની સંપ અને સંગઠનની ભાવના પ્રબળ બનાવવા તેમજ સમાજને લગતા સામાજીક કાર્યો વધુ વેગવંતા બનાવવા કન્યા કેળવણી અને શિક્ષણ પ્રત્યે વધુનેવધુ જાગૃતતા લાવવા હાકલ કરેલ હતી.

ઉદ્યોગપતિ પ્રકાશભાઇ વરમોરાએ યુવાનોને પ્રોત્સાહિત કરતુ પ્રવચન કરેલ. સમાજમા થતા ઘડીયા લગ્નને આવકારેલ પરિવારના મોભીઓએ યુવાનો દ્વારા કરવામા આવતા સ્નેહમિલન સહીત કાર્યક્રમને આવકારી આશિર્વચન પાઠવેલ શિક્ષણક્ષેત્રે હરણફાળ સિધ્ધી બદલ વિદ્યાર્થીઓને ધાર્મિકભાઇ જયંતિભાઇ તરફથી શિલ્ડ આપી નવાજયા હતા. ૨૫૦૦થી વધુ વરમોરા પરિવારે સમુહભોજન લીધુ હતુ. કાર્યક્રમ દિપાવવા વરમોરા પરિવારે જહેમત ઉઠાવી હતી.(૨૧.૧૫)

(11:32 am IST)