Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ધોરાજીમાં દાઝી જતાં વણકર મહિલા જમુનાબેનનું મોત

રાજકોટ તા. ૭: ધોરાજીમાં ભુખી ચોકડી પાસે આંબેડકરનગરમાં રહેતાં જમુનાબેન   અરવિંદભાઇ ચોૈધરી (વણકર) (ઉ.૩૭)નું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જમુનાબેન તા. ૩૧ના રોજ ઘરના ફળીયામાં ચુલા પર રસોઇ બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી ગયાનું પરિવારજનોએ જણાવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તેણીને ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો. મૃતકના પતિ અરવિંદભાઇ જેન્તીભાઇ પ્લાસ્ટર કામની મજૂરી કરે છે. જમુનાબેના મોતથી બે પુત્રો મા વિહોણા થઇ ગયા છે.

(11:15 am IST)