Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગિરનાર શિવરાત્રી કુંભમાં પધારવા યોગીજીને આમંત્રણ

ભાવનગર તા ૭ : '' ગિરનાર શિવરાત્રી કુંભ'' નું આયોજન ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી યોજાનાર છે. મીની કુંભમાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી અને સંત યોગી આદિત્યનાથને નિમંત્રણ આપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અગાઉ પત્ર લખી આવવા જણાવેલ એજ અનુસંધાને રૂબરૂ આમંત્રણ આપવા મંત્રીશ્રી વિભાવરીબેન દવે, ભુપેન્દ્રસિંહ ચેુડાસમા, ગણપતભાઇ વસાવા ની સાથે પ્રતિનીધી મંડળ લખનઉ ગયેલ '' ગિરનાર શિવરાત્રી કુંભ'' ની સમીતીના અધ્યક્ષ ગણપતભાઇ વસાવા અને ઉપાધ્યક્ષ વિભાવરીબેન દવે ને જવાબદારી અપાઇ છે.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગીજી આદિત્યનાથને રૂબરૂ નિમંત્રણ આપી વિભાવરીબેન દવે એ શિવજીની મૂર્તિ ભેટ આપી સ્વાગત કરેલ અને ચરણ સ્પર્શ કરી સંતના આર્શિવાદ લીધેલ ત્યારની તસ્વીર (૩.૫)

(11:13 am IST)