Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ભચાઉના બળધોઇ પાસે અકસ્માતમાં ઘવાયેલા લખધીરભાઇનું રાજકોટમાં મોત

રાજકોટ તા.૭: ભચાઉના બળધોઇગામ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યા મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ બળધોઇ ગામમાં રહેતા લખધીરભાઇ કાનજીભાઇ ગોહેલ (ઉ.વ.૪૦) બે દિવસ પહેલા પોતાનું એકટીવા લઇને જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે એકટીવાને ઠોકર મારતા લખધીરભાઇને ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી ભચાઉ મોકલવા તજવીજ હાથ ધરી છે.(૧.૫)

(10:25 am IST)