Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જામકંડોરણામાં તલાટી મંત્રીનો વિદાય સમારંભ

જામકંડોરણાનાઃ તલાટી મંત્રી મહેન્દ્રસિંહ જાડેજાની બદલી થતા જામકડોરણા સમસ્ત મુસ્લિમ જમાત દ્વારા તેમનો વિદાય સમારંભ જામકંડોરણા નગીના મસ્જિદ પાસે યોજાયો હતો. વિદાય સમારંભ માં મુસ્લિમ જમાતના આગેવાનો હાજી અબ્દુલા હાજી વલીમામદ, હનીફભાઇ મચ્છીવાલા, જુમાભાઇ કુરેશી સહિતના જમાતના આગેવાનોએ શાલ ઓઢાડી બહુમાન કરી વિદાય આપી હતી જામકંડોરણામાં તેમને કરેલ કામગીરીને બિરદાવી હતી સરપંચ જશમતભાઇકોચાણી, પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર ભારદ્વાજ, તાલુકા વિકાસ અધીકારી દવેભાઇ,પોલીસ સ્ટેશનના અજીતભાઇ ગંભીર સહિતનાઙ્ગઅધિકારીઓ તેમજ મુસ્લિમ જમાતના લોકોેએ હાજરી આપી હતી સમારંભની તસ્વીર.

(11:31 am IST)