Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

'આપણી મિલકતમાં ભાગ કેમ માગે છે..' કહી સુનિતાબેનને પતિ, જેઠ, જેઠાણી અને નણંદનો ત્રાસ

ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતી મહિલાની ફરીયાદ : કુતિયાણાના પતિ કાંતિ, જૂનાગઢના જેઠ જેન્તી, જેઠાણી બેના અને નણંદ વિજયા સામે ગુનો

રાજકોટ, તા. ૭ : શહેરના ઠક્કરબાપા હરિજનવાસમાં માવતર ધરાવતી વાલ્મીકી મહિલાને પોરબંદરના કુતિયાણામાં રહેતા પતિ, જૂનાગઢના જેઠ, જેઠાણી અને પોરબંદરની નણંદ ઘરકામ બાબતે અને અમારા મકાનમાં ભાગ કેમ માગે છે, 'તારા બાપાના ઘરેથી કંઇ લાવી નથી ' તેમ કહી ઝઘડો કરી શારીરીક માનસિક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં.૧ કન્યા છાત્રાલયની પાછળ માવતર સાથે રહેતા સુનિતાબેન કાંતિભાઇ ટીમાણીયા (ઉ.વ.૪૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પોરબંદરના કુતિયાણામાં રહેતા પતિ કાન્તી લક્ષ્મણભાઇ ટીમાણીયા જૂનાગઢ સત્યમ સોસાયટીના જેઠ જેન્તી લક્ષ્મણભાઇ ટીમાણીયા, જેઠાણીબેના જેન્તી ટીમાણીયા અને પોરબંદરની નણંદ વિજયા લીલાભાઇ ઢાંકેચાના નામ આપ્યા છે. સુનિતાબેન ટીમાણીયાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે રાજકોટમાં માતા-પિતા સાથે છેલ્લા ૧પ દિવસથી બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. લગ્ન બાદથી પોતે પતિ અને સાસુ-સસરા સાથે પોરબંદરના કુતિયાણા ખાતે રહેતા હતાં જયાં પોતાને થોડો સમય સારી રીતે રાખેલ બાદ ઘરકામ જેવી બાબતે અને રસોઇ બાબતે પતિ અવારનવાર ઝઘડો કરતો હતો. બાદ લગ્નના ૧ વર્ષ બાદ પોતે પતિ સાથે રાજકોટ ખાતે રહેવા માટે આવી ગયા હતા તો પણ જેઠ જેન્તી અને જેઠાણી બેના જે જૂનાગઢ રહે છે તે અવાર-નવાર અમારા ઘરે આવતા હોય અને 'આપણી મિલકતમાં ભાગ કેમ માગે છે તેને કહે તેના બાપના ઘરેથી કાંઇ લાવી નથી તે લેતી આવે' તેમ પતિને ચઢામણી કરતા હતાં અને નણંદ વિજયા પણ બધાની વાતમાં સાથ આપતી હતી અને પતિને ફોન કરી તેમજ અવાર નવાર ઘરે આવી ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરી મારકૂટ કરતા હતાં અને 'તુ જતી રહે જે તારા બાપાના ઘરે મારે તને જોઇતી નથી' તેમ કહી ત્રાસ આપતા હતા અને પોતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદ પોતે સમાધાન કરીને ઘરે આવી જતા હતા, પરંતુ આવું અવાર નવાર થતું હોઇ, ગઇ તા. ર૦-૧રના રોજ અમો બંને જૂનાગઢ પતિના મોટા બાપુના દીકરાના મારા જેઠના દાળામાં ગયા હતાં અને ત્યાં નણંદે 'તારી પત્ની મને બોલાવતી નથી', 'બાયડીનો ગુલામ છો ' તેમ પતિને ચઢામણી કરતા પતિએ ઉશ્કેરાઇને પોતાની સાથે ઝઘડો કરી જાપટ મારી દીધી હતી. ત્યાર બાદ અમે રાજકોટ આવેલ અને ત્યાંથી એ વાતમાં પતિ ઝઘડો કરતો હતો. આથી જેઠ જેઠાણી અને નણંદના લીધે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોઇ, તેથી પતિ, જેઠ-જેઠાણીના માનસીક ત્રાસથી કંટાળી એક વખત ફિનાઇલ પી લીધું હતું અને આ બાબતે મહિલા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એન.બી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)