Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લાઠીના દુધાળા ગામે પૂ.મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવા પ્રશ્ને આક્રમક રજૂઆત

દામનગર તા.૭ : લાઠી તાલુકાના દુધાળા ગામે પર્યટક સ્થળે ઉદ્યોગપતિ રવજીભાઇ ધોળકીયાએ મુકાવેલ હરે કૃષ્ણ સરવરની પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમા તોડવાના હિનકૃત્ય સામે દામનગરવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.

વિધ્ન સંતોષીઓના આવા હિનકૃત્યને વખોડી કાઢી આવા મનોવિકૃત ધરાવતા તત્વો સામે કડક પગલા લેવા ગ્રામજનો દ્વારા લાઠી પોલીસને આવેદનપત્ર પાઠવેલ હતુ અને દાતાઓની લાગણી દુભાયાનુ જણાવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ કે, ભુતકાળમાં અનેક સ્થળોએ મહાપુરૂષોની પ્રતિમાને નુકશાન કરવાના બનાવો બન્યા છે ત્યારે લાઠીમાં ફરી કોઇ તીખળખોર મનોવૃતિ ધરાવતા લોકોએ આવુ કૃત્ય કરે નહિ તેની તકેદારી રાખવા માંગણી કરી છે.

(1:23 pm IST)