Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મોરબીના લાયન્સનગરમાં વિરેન્દ્રસિંહ તોમારનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ઉંચી માંડલ પાસે કુવામાં પડી જતા પુષ્પાબેન બારીયાનુ મોત

મોરબી તા.૭: મોરબીના લાયન્સનગરમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

 

મોરબીના નવલખી રોડ પરના લાયન્સનગરમાં રહેતા વીરેન્દ્રસિંહ જશવંતસિંહ તોમાર (ઉ.વ.૩૭) નામના યુવાને પોતાના દ્યરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે .

મોરબીના ઉંચી માંડલ પાસે કુવામાં પડી જતા મહિલાનું મોત

મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ વાડીમાં રહેતા પુષ્પાબેન ગોપાલભાઈ બારીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મોત થયું છે મૃતક મહિલાનો લગ્નગાળો નવ મહિનાનો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છ.

(1:19 pm IST)