Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુરેન્દ્રનગરમાં જમીયતે ઉલમાયે હિન્દ ગુજરાતના ૧૦૦ વર્ષ પૂર્ણની ઉજવણી

 વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા અને હાલ સમગ્ર રાજયભરમાં કાર્ય કરતી અને મુસ્લિમ સંગઠન અને મુસ્લિમોના ન્યાય બાબતે સમગ્ર ગુજરાતમાં કાર્યરત જમીયતે ઉલમાને ૧૦૦ વર્ષ પૂર્ણની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા ખાતે રંભાબેન ટાઉન હોલમાં કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ એક બને અને સંગઠીત બને તેવું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ખાસ પીરે તરીકત યુસુફમિયા બાપુ દ્વારા મુસ્લિમોના હિતમાં કાયદા ઘડાઇ અને મુસ્લિમ સમાજ એક બને અને મુસ્લિમ સમાજનો વિકાસ થયા તે બાબતે યુસુફમિયા બાપુએ જણાવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના દરેક સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:17 pm IST)