Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પ્રેમલગ્ન કરનાર નખત્રાણાના બાવાજી યુવાનના મોતની તપાસ માટે સમાધિ તોડી લાશનું પોર્સ્ટમોર્ટમ

ભુજ,તા.૭:  નખત્રાણાના મોટી વિરાણી ગામના ૨૪ વર્ષીય બાવાજી યુવાનના એકાએક મોત બાદ અનેક તર્ક વિતર્કો તેમ જ અફવાઓ વહેતી થતાં પોલીસે આ યુવાનના મોતના કારણની તપાસનો નિર્ણય કર્યો છે.

રેકડી ઉપર પાઉંભાજી અને દાબેલીનો ધંધો કરતાં ૨૪ વર્ષીય કેતનપુરી પ્રવીણપુરી ગુંસાઈ નામના આ બાવાજી યુવાને વિરોધ વચ્ચે પ્રેમલગ્ન કર્યા હતા. દ્યેર ઉલટી થયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

જેને પગલે તેની અંતિમવિધિ ઝડપભેર કરી દેવાઈ હતી. જોકે, હવે પોલીસ દ્વારા પ્રાંત અધિકારીની હાજરીમાં તેનો દેહ સમાધિ માંથી કાઢીને તેનું પોર્સ્ટમોર્ટમ કરાશે. આ દ્યટનાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. હવે જોવું એ રહ્યું કે, પોલીસ તપાસ અને પીએમ માં આ યુવાનના મોતનું કારણ શું બહાર આવે છે.

(11:48 am IST)