Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભાવનગરમાં રચનાત્મક કાર્યકરનું સન્માન

ભાવનગર : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ પ્રસંગે દેશની પ્રતિષ્ઠિત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ગ્રામદ્યોગ સંઘ સુરત, યંગમેન ગાંધીયન એસોસિએશનના ઉપક્રમે સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકરોનું અભિવાદન ૧૬ ડીસેમ્બર રાજકોટમાં સમન્વય સંસ્થા દ્વારા યોજાયું હતું. સ્વરાજની શાળા તરીકે ગાંધી આચાર-વિચાર સાથે છેલ્લા ૮૦ વર્ષથી સમાજ ઘડતર પ્રત્યે શિશુવિહાર સંસ્થાના કાર્યકરોનું અભિવાદન ગૌરવવંત બની રહ્યું. વરિષ્ઠ ખાદી કાર્યકરશ્રી મનુભાઇ મહેતા તથા બળવંતભાઇ જાની દ્વારા નિમંત્રણથી સંસ્થાના મંત્રી ડો. નાનકભાઇ તથા શ્રી નિર્મોહીબહેન ભટ્ટે સન્માન સ્વીકાર્યું હતું તે તસ્વીર.(૧.૧)

 

(1:46 pm IST)