Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બાબરાના ખાનપરમાં વિજકરંટથી દાઝેલી કોળી પરિણીતાનું મોત

રાજકોટ તા. ૭: બાબરાના ખાનપર ગામે રહેતી રસિલાબેન જયંતિ કશીયા (ઉ.૩૬) નામની કોળી મહિલાનું દાઝી જતાં મોત નિપજ્યું છે.

રસિલાબેન તા. ૩૦/૧૨ના રોજ બોપરે પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે કરંટ લાગતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કાગળો કરી બાબરા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(12:06 pm IST)