Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભાવનગરનાં પડવામાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણઃ ૧૬થી ૧૮ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

ભાવનગર, તા.૭: ભાવનગર જીલ્લાનાં પડવા ગામે () શ્રી સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયુ છે. જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૬થી૧૮ જાન્યુ. દરમ્યાન ધામધૂમથી ઉજવાશે.

ઘોઘા તાલુકાનાં પડવા ગામે () શ્રી સ્વામીનારાયણ મંદિરનું ભવ્ય નિર્માણ કરાયુ છે. બાળકો, યુવાનો, વડીલો, મહિલાઓનાં સંસ્કારોની ઉન્નતિ માટે નિર્માણ પામેલા આ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તા.૧૬/૧ ને બુધવારે બપોરે ૩થી૬ ભવ્ય શોભાયાત્રા, રાત્રે ૮થી૧૦.૩૦ સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.૧૭/૧ ગુરૂવારે સવારે ૭.૩૦થી ૧૧ વિશ્વશાંતિ સ્વામીનારાયણ મહાયજ્ઞ, રાત્રે ૮થી૧૦.૩૦ કીર્તન આરાધના તા.૧૮/૧ શુક્રવારે સવારે ૮થી૯.૩૦ મૂર્તિપ્રતિષ્ઠા, સવારે ૯.૩૦થી ૧૨ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સભા યોજાશે. પરમ પૂજય ત્યાગ વલ્લભ સ્વામીનાં હસ્તે મૂર્તિની સ્થાપન વિધ થશે. આ શુભ ધાર્મિક પ્રસંગે સૌ હરિભકતોને સાધુશ્રીજી ચિંતનદાસ, સાધુ ગુણવત્સલદાસ, ઘનશ્યામસિંહ ગોહિલ, જગદીશસિંહ ગોહિલ, મનહરસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં અંતે સૌ માટે મહાપ્રસાદની વ્યવસથા કરાઇ છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના તડામાર તૈયારી કરી રહ્યા છે.(૨૩.૪)

(11:59 am IST)