Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગૌશાળા અને પાંજરાપોળો માટે ઉતરાયણ પર્વ નિમિતે ભાવનગર જીલ્લા-ડાયમંડ એસોસીએશન એકત્ર કરશે ફંડ

ભાવનગર તા. ૭ : રૂટીન દર વષે મુજબ ઉતરાયણ પર્વ પર ભાવનગર જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળો માટે ફંડ એકત્રીત કરવા માટે ભાવનગર નિર્મળનગર હિરાબજાર, ક્રિસ્ટલ બીલ્ડીંગ સામે તા.૭/૧/ર૦૧૯ ને શનિવાર સુધી સેન્ટર ખુલ્લુ રહેશે.

તા.૭/૧/ર૦૧૯ ને સોમવારના દિવસે આ સેન્ટરનું ઉદ્દઘાટન હીરા ઉદ્યોગના અગ્રણીઓ તથા કમીટીના સભ્યઓની હાજરીમાં કરવામાં આવશે દિપ પ્રાગટથી આ સેન્ટરનું ઉદ્દઘાટન ગાય માતાના હિતાર્થ શરૂ થશે આ સેન્ટરમાં સ્વેચ્છાએ દાન સ્વીકારવાનું નકકી કરેલ છે તેમજ જે ઓફીસની અંદર ધર્મદાના હીરા હોય તો પણ આ સેન્ટર ઉપર સ્વીકારવામાં આવશે દર વર્ષ મુજબ સાથ અને સહકાર જીવદયા કાર્યમાં અમને મળે છે.તેથી પણ વધારે સાથ અને સહકાર આ વર્ષે અમોને મળશે તેવી અપેક્ષા સાથે આ સેન્ટર નિર્મળનગર હીરાબજાર ખાતે રહેશે તો આ પવિત્ર કાર્યમાં તમામ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલ આમ જનતાનો પુરેપુરો સાથ અને સહકાર આપવા અત્રે અહીથી અપીલ કરવામાં આવે છે. (૬.૧પ)

(11:54 am IST)