Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પોલીસ એએસઆઈ યુસુફભાઈ કુરેશી વય મર્યાદાના કારણે નિવળત

સાવરકુંડલા,તા.૬ :  સાવરકુંડલાના વતની અને પોલીસ ખાતામાં એ એસ આઈ તરીકે ફરજ બજાવતા યુસુફભાઈ કુરેશી વય મર્યાદા ના કારણે નિવળત થતા ટાઉન પોલીસ સ્‍ટેશન વિદાય કાર્યક્રમ યોજાયો હતો.

 સાવરકુંડલા શહેર ના વતની  યુસુફભાઈ રસુલભાઈ કુરેશી એ પોલીસ ખાતા માં ૩૨ વર્ષ નોકરી માં ફરજ બજાવી આ ૩૨ વર્ષના ફરજ દરમ્‍યાન કોય દિવસ વાદ વિવાદમાં આવ્‍યા વિના તેમજ લાંચ માંગવી કે લેવી તેવી બાબત થી પર રહી પુરી નિષ્ઠાપ્રમાણિકતા તેમજ સફેદ કપડાં પહેરી મશ ની કોઠી માંથી વગર ડાધે બહાર નીકળવું એ રીતે ૩૨ વર્ષની નોકરીમાં એક પણ ડાઘ લાગ્‍યા વિના ખંતથી અને નરમાઇસથી અને અસામાજિકતત્‍વો સામે  કડકાઈ થી અને ગુંડા લુખ્‍ખા તત્‍વોની શાન ઠેકાણે લાવી તેવી બહાદુરી પૂર્વક ફરજ બજાવનાર યુસુફભાઈ કુરેશી ને વિદાય આપવા નો વિદાય કાર્યક્રમ સાવરકુંડલા રેન્‍જ ના ડી વાય એસ પી  એચ બી વ્‍હોરા. ના અધ્‍યક્ષ સ્‍થાન યોજાયો હતો.

     આ વિદાય કાર્યક્રમ ના અધ્‍યક્ષ  ડી વાય એસ પી વ્‍હોરા એ યુસુફ કુરેશી એ પોલીસ ખાતા માં ખૂબ જ સરસ રીતે ફરજ બજાવી હતી તેમનું નિવળત જીવન ખૂબ સુખમય શાંતિમય અને આરોગ્‍ય મય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

 આ તકે નિવળત પોલીસમેન યુસુફભાઈ કુરેશી એ જણાવેલ હતું કે મારી પોલીસ ખાતામાં નોકરીમાં મને અધિકારી દ્વારા ખૂબ પ્રેમ હૂંફ અને મદદ મળતી હતી તે બાબતનો મને ખુબ સંતોષ છે આ વિદાય કાર્યક્રમ માં સી ટી પી આઈ .એસ એમ સોની.પી એસ આઈ રાઠોડ. પી એસ આઈ બી એસ સીસોદીયા. સહિત પોલીસ સ્‍ટાફ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

(1:45 pm IST)