Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભાવનગર ખાતે રામકથા યજ્ઞની શરૂઆત

ભાવનગર : તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં લોકશાહીનો ઉત્‍સવ  મતદાન યજ્ઞ ની પૂર્ણાહુતિ થઈ અને તરત જ ભાવનગર ખાતે રામકથા યજ્ઞની પણ શરૂઆત થઈ અને સાથે સાથે મહા વિષ્‍ણુ્‌યાગ અને  બ્રહ્મચોર્યાસી ની પણ શરૂઆત થઈ. ભાવનગર ખાતે શ્રી રાંદલ માતાજી માતળ મંદિર દ્વારા મહા વિષ્‍ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૫૧ કુંડી પંચ દિવસિય મહા વિષ્‍ણુયાગ યજ્ઞ તેમજ બ્રહ્મચોરીયાસીનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. અહીં સજાવવામાં આવેલ સુંદર અને આધ્‍યાત્‍મિક યજ્ઞશાળામાં સતત પાંચ દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોના મંત્રોનું ઉચ્‍ચારણ કરવામાં આવશે. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(11:48 am IST)