Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

માળિયા : મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું વતન ચમનપરની ગ્રામપંચાયત સમરસ જાહેર.

જ્યારથી સમરસ ગ્રામ યોજના શરૂ થઈ ત્યારથી સતત સમરસ ગ્રામ બની નવો રેકોર્ડ સ્થાપિત કરતી ચમનપર પંચાયત.

મરબી :મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ફોમ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના માળીયા તાલુકાના ચમનપર ગામ સાતમી વખત સમરસ થયું છે.
સમરસ યોજના જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી એટલે કે ૧૯૯૨ થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવી છે. અને આ વખતે પણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ગ્રામ જનોના સહિયારા પ્રયાસથી ચમનપર ગામ સાતમી વખત સમરસ બની સરપંચ તરીકે શિતલબેન જયેશભાઈ ચારોલાની સર્વાનુંમતે વરણી કરવામાં આવેલ છે.
સભ્ય તરીકે વોર્ડ-૧ માં પ્રભાબેન બાબુલાલ અઘારા, વોર્ડ-૨માં અસ્માબેન અબ્દુલભાઈ લાખાણી, વોર્ડ-૩માં અશ્વીનભાઈ પરસોતમભાઈ ભીમાણી, વોર્ડ-૪માં નાનજીભાઈ રવજીભાઈ ચારોલા, વોર્ડ-૫માં રસીકભાઈ ગોવિંદભાઈ સોલંકી, વોર્ડ-૬માં કસ્તુરબેન પ્રભુભાઈ વિલપરા, વોર્ડ-૭માં મુક્તાબેન ભગવાનજીભાઈ અઘારા, વોર્ડ-૮માં જયેશભાઈ નરસીભાઈ ચારોલાની વરણી કરવામાં આવેલ છે.
ચમનપર ગામના વિકાસના કામો અંગે જણાવીએ તો સીસી રોડના કામો, સંરક્ષણ દીવાલ કામો, ભુગર્ભ ગટરના કામો, પંચાયત ઘર રીપેરીંગ, પ્રાથમિક શાળામાં પેવરબ્લોક કામો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૨૪.૪૯ લાખથી વધુના કામો થયેલ છે.
માળીયા તાલુકામાં કુલ ૧૪ ગામો ચમનપર, લક્ષ્મીવાસ, જાજાસર, ભાવપર, ચીખલી/ વરડુસર, વવાણીયા, વિરવદરકા, જસાપર, સોનગઢ/ફતેપર, ખીરસરા, મંદરકી, રાસંગપર, મોટાભેલા અને નવાગામ સમરસ ગ્રામ પંચાયત બનેલ છે
મોરબી તાલુકાના હરીપર (કે) ગ્રામ પંચાયત નવમી વખત સમરસ જાહેર કરાઈ છે અને મહિલા સરપંચ બિનહરીફ બન્યા છે
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે જેમાં મોરબી તાલુકાના હરિપર (કે) ગામ નવમી વખત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ફરીવાર સમરસ બની જેમાં સરપંચ તરીકે ધીરજબેન બીપીનભાઈ હળવદિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે

(11:26 pm IST)