Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોરબી વાંકાનેર હાઈવે પર રસ્તો ઓળંગતી રફાળેશ્વરની મહિલાનું વાહનની અડફેટે અકસ્માતમાં મોત

મૃતક મહિલા પ્રેમજીનગરમાં નણંદના ઘરે પુત્ર અને પુત્રવધુ સાથે ગયા હતા અને હાઈવે પર રસ્તો ઓળંગતી વેળાએ અકસમાત નડ્યો

મોરબી-વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં રસ્તો ઓળંગતી વેળાએ વાહનની ઠોકરે મહિલાને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં મોત થયું છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વરના રહેવાસી લીલાબેન દેવાભાઈ પરમાર (ઉ.વ.૫૫) નામની મહિલા પ્રેમજીનગરમાં રહેતા નણંદના ઘરે પુત્ર અને પુત્રવધુ સાથે ગયા હતા અને હાઈવે પર રસ્તો ઓળંગતી વેળાએ પુરપાટ આવતા જીજે ૦૩ એચએલ ૭૬૧૫ ના ચાલકે લીલાબેનને ઠોકર મારતા તેને ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે

(12:45 am IST)