Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હળવદના શ્રી હરિકૃષ્ણધામમાં આર્મીના જવાનો દ્વારા અદ્દભુત કરતબો

ભુજથી સીકંદરાબાદ સુધી સાહસ અભિયાન

હળવદ તા. પ : તાલુકાના રણજીતગઢ ગામ પાસે આવેલા શ્રી હરીકૃષ્ણધામના પટાંગણમાં ભારતીય આર્મીનુ પેરામોટર ગ્રુપ આવેલ હતુ જયાં સંત પૂ. સદ્દગુરૂ તપોમૂર્તિ શ્રી ભકિત હરિદાસજીના સાનીધ્યમાં પેરામોટર આર્મીના જવાનો નું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં હાજર આર્મીના જવાનોને દેશની રક્ષા કાજેનુ કામ બિરદાવેલ હતુ. આ તકે રણજીતગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હળવદ કન્યા છાત્રાલયની વિદ્યાથીનીઓ તેમજ ધનાળા અને કેદારીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પેરા મોટરની ઉડાન ભરી તે દરમ્યાન હાજર રહ્યા હતા  પેરા મોટરની ઉડાન ભરી તે દરમ્યાન હાજર સૌ કોઇ લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

ભુજથી મહારાષ્ટ્રના સિકંદરાબાદ સુધીની પેરામોટર અભિયાન અંતર્ગત સફર ખેડયું છે. આ અભિયાન ત્રીજી ડીસેમ્બરથી ૧૧ દિવસ સુધી ચાલશે (૬.૧૨)

(1:07 pm IST)