Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વઢવાણના બલદાણામાં લાલુભા અસ્વારની હત્યા કરનારાની શોધખોળ

પેટ્રોલ પંપના માલિક અને કપાસના વેપારી રજપૂત અગ્રણીની હત્યાથી અરેરાટી

વઢવાણ, તા. ૬ :. વઢવાણના બલદાણામાં પેટ્રોલ પંપના માલીક અને કપાસના વેપારી લાલુભા અસ્વાર (કારડીયા રજપૂત) ની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે હત્યા કરનારાની શોધખોળ  હાથ ધરી છે. અને હત્યાના કારણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વઢવાણ તાલુકાના બલદાણા ગામની સિમમાં ખેડુત યુવાન હત્યા કરાયેલ હાલતમાં બલદાણા સીમમાં લાશ મળી આવેલ છે.

બલદાણા ગામના જ કારડીયા રજપુત સમાજના ખેેડુત ધરતીપુત્ર એવા લાલુભા  ગંભીરસિહ અસ્વાર બલદાણા ગામની સીમમાં હત્યા કરાયેલ લાશ હાલમાં મળી આવતા પરીવારના સભ્યોને જાણકારી આપવામાં આવતા દોડી આવ્યા છે. જયારે હાલમાં લાલુભા અસ્વાર પોતે પેટ્રોલ પંપના માલીક હોવાનુ અને કાલા કપાસના વેપારી  પણ હોવાનું હાલમાં જાણવા મળેલ છે.

ત્યારે લાલુભા ગંભીરસિંહ અસ્વારની હત્યા પાછળનું કારણ હાલ જાણવા વઢવાણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પરિવારના નિવેદનો અને આ લાલુભા ગંભીરસિંહ અસ્વારના કોઇની સાથેના અણ બનાવ વગેરે વિષય ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ બનાવ અંગે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. લાલુભા ગંભીરસિંહ અસ્વારને કોઈની સાથે અણબનાવ હતો કે નહી ? તે તરફ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(3:47 pm IST)