Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સૌરાષ્ટ્ર સ્વાયત્તતાનો મુદ્દો ચુંટણી ઢંઢેરામાં જાહેર કરો : યશવંત જનાણી

રાજકોટ તા. ૬ : સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના સલાહકાર અગ્રણી યશવંત જનાણીએ ગુજરાત વિધાનસભાની ચુંટણી લડતા રાજકીય પક્ષોને તેમના ચુંટણી ઢંઢેરામાં સૌરાષ્ટ્રને સ્વાયત્ત દરજજા સાથે સૌરાષ્ટ્ર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવાના નિર્ણયનો સમાવેશ કરવા અનુરોધ કરેલ છે.

સૌરાષ્ટ્રના મુખ્ય પ્રશ્નો પાણી, વિજળી, ઉદ્યોગના વિકાસ માટેના છે. ગુજરાતના અન્ય વિસ્તારની હરોળમાં ઉભા રહી શકે તે માટે સોરાષ્ટ્ર સર્વાંગી વિકાસ માટે અને પ્રજાકિય જીવન ધોરણ ઉંચુ લાવવાના આશય સાથે સ્વાયત રીતે કામ કરી શકે તેવી સૌરાષ્ટ્ર ડેવલપમેનટ ઓથોરીટીની રચના કરવી જરૂરી હોવાનું એક યાદીમાં સૌરાષ્ટ્ર વિકાસ પરીષદના સલાહકાર યશવંત જનાણી (૦૨૮૧- ૨૫૬૩૫૨૭) એ જણાવેલ છે.

(12:06 pm IST)