Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રાહુલ ગાંધીની મોરબી, ધ્રાંગધ્રા અને વઢવાણની સભા મોકૂફ

મોરબી તા.૬ : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કચ્છના અંજાર બાદ મોરબીમાં જાહેર સભાને સંબોધન કરવાનું આયોજન હતું. ત્યારબાદ ધાંગધ્રા અને વઢવાણ ખાતે પણ સભાનું આયોજન હતું. પરંતુ ઓખી વાવાઝોડાના કારણે અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. જેનાં લીધે રાહુલ ગાંધીની અંજાર સભામાં પણ ૨ કલાક મોડા પહોચ્યા હતા. છતાં ત્યાં સભાને સંબોધન કર્યું હતું. પરંતુ મોરબી સભામાં આવા ખરાબ વાતાવરણમાં હેલીકોપ્ટર ઉડી શકે નહી. તેથી મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે સભાને મોકૂફ રાખવામાં આવી. તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જાહેરાત કરી હતી. ગઇકાલે બપોરે મોરબીમાં સભા યોજાવાની હોવાથી મોરબીના વેલકમ પાર્ટી પ્લોટ ખાતે તમામ તૈયારીઓ થઇ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો પણ રાહુલ ગાંધીને સાંભળવા સભાસ્થળે પહોંચી ગયા હતાં.

(6:31 pm IST)