Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ખોડલધામ ખાતે કેશુભાઇ પટેલને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પીત કરાઇઃ

(કિશન મોરબીયા) વિરપુરઃ ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણા સૌ વચ્ચેથી હાલ વિદાય લઈ ચૂકયાં છે. આ વસમી વિદાયથી સૌ કોઈ તેમના અવસાન બાદ શોકમાં ગરકાવ થઈ ગયા છે. આવા લોકનાયકને ખોડલધામ કાગવડ ખાતે શ્રદ્ઘાંજલી આપવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક શ્રદ્ઘાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મિનીટનું મૌન પાળી બાપાને શ્રદ્ઘાંજલી આપવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે જયારે મંદિરનું નિર્માણ થવાની વાત આવી ત્યારે સૌથી પહેલાં કેશુબાપા દ્વારા તેઓને આવકારવામાં આવ્યું હતા. કેશુબાપા આપણા સૌ વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના કરેલા કર્યો આજ પણ લોકોના દિલમાં જીવંત છે. કેશુબાપા પટેલ સમાજના તો પુત્ર હતા પરંતુ સર્વ સમાજને ઉપયોગી કામો તેમજ સર્વે સમાજને મદદરૂપ બનતા. તેમને કરેલા કામોથી આજે પણ તેઓની લોકચાહના અકબંધ છે. તેમ જણાવી ખોડલધામમાં તેમને શ્રદ્ઘાંજલી અર્પણ કરાઈ હતી. તે પ્રસંગની તસ્વીર.

(12:49 pm IST)