Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જુનાગઢમાં ભારત વિકાસ પરિષદના સ્વદેશી ફટાકડા સ્ટોરનો શુભારંભ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ : ભારત વિકાસ પરિષદ, જુનાગઢ શાખા દ્વારા આયોજીત સ્વદેશી ફટાકડા સ્ટોર પ્રકલ્પ દ્વારા મળેલ રાશીનો ઉપયોગ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કાર્ય હેતુ 'સમુત્કર્ષ વિદ્યાર્થી સહાય યોજના'માં વાપરવામાં આવનાર છે, આ ઉમદા કાર્યમાં આશિર્વાદ આપવા માટે સ્વદેશી ફટાકડા સ્ટોર પર તા. પ/૧૧/ર૦ર૦ ના પુપુ.મહંતશ્રી ઇન્દ્રભારતીબાપુ (શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ) પધારેલ. આ સાથે અતિથી વિશેષ તરીકે જવાહરભાઇ ચાવડા. (કેબીનેટ મંત્રીશ્રી, માન. શ્રી ધીરૂભાઇ ગોહેલ (મેયરશ્રી, જુનાગઢ મ.ન.પા.), શ્રી રાકેશભાઇ ધુલેશીયા સ્ટે.ચેરમેન વગેરે જુનાગઢના ગણમાન્ય મહાનુભાવોના વરદ હસ્તે ભારતમાતા પુજન સાથે દિપ પ્રાગટય દ્વારા શુભારંભ કાર્યક્રમ યોજાયેલ.

ભારત વિકાસ પરિષદ દ્વારા મહંતશ્રી ઇન્દ્રભારતીયબાપુ તથા ઉપસ્થિતોને ભારતમાતાનું માનચિત્ર તથા તુલસીના રોપા આપી સન્માન કરવામાં આવેલ.

મહંત ઇન્દ્રભારતીબાપુએ જણાવેલ કે ભારતનું ભવિષ્ય એવા જરૂરીયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓ માટેની કલ્યાણકારી સેવા કાર્ય 'સમુત્કર્ષ વિદ્યાર્થી સહાય યોજનામાં' સમાજના સક્ષમ નાગરીકો વધુમાં વધુ જોડાય તેવી અપીલ કરેલ.

કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે ભારત વિકાસ પરિષદ સમાજ માટે વિવિધ અનેકવીધ ઉમદા કાર્યો છે તેના જ ભાગરૂપે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટેની આ યોજનાને સાકાર કરવા સંસ્થાના સદસ્યો આ રીતે મહેનત કરે છેતે સરાહનીય તથા પ્રેરણારૂપ હોવાનુ઼ જણાવેલ

(12:48 pm IST)