Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સોમનાથ જંગલ પંથકમાં યુવાનની ગળાફાંસો ખાધેલ લાશ મળી

(દિપક કક્કડ દ્વારા) સોમનાથ, તા.૬ : સોમનાથ હીરાકોટ દરિયા કાંઠે જંગલમાં કોઇ અજાણ્યો પુરૂષ ગળાફાંસો ખાધેલા હાલતમાં મળી આવતા ભારે ચકચાર જાગેલ છે. મરીન પોલીસ ેમૃતદેહ પી.એમ. માટે મોકલેલ છે.

પોલીસે જણાવેલ હતું કે સોમનાથ હીરાકોટ દરિયા કાંઠે ધનઘોર જંગલ આવેલ છે ત્યાં ઝાડ ઉપર દોરડું બાંધી કોઇ અજાણી વ્યકિત ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ હતી. આ વ્યકિતની એક થેલી પણ લટકતી હતી અને મૃત વ્યકિત જમીનને ગોઠણીયા ભેર અડી ગયેલ હોય પ્રાથમિક તપાસમાં બે દિવસ પહેલા આનું મૃત્યુ થયેલ હોય તેવું જાણવા મળેલ છે પણ પી.એમ. અને ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનુ  કારણ જાણવા મળી શકશે.

(12:47 pm IST)