Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જસદણ -વિંછીયામાં કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતા લોક દરબાર :

આટકોટ : તાલુકા સેવા સદન જસદણ તથા વિંછીયા ખાતે લોકોને ગાંધીનગર સુધી ન જવું પડે અને પ્રશ્નનોનુ સહેલાઇ થી નિરાકરણ થઈ શકે તે હેતુથી 'લોકદરબાર નું આયોજન વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષ સ્થાને કરવામા આવ્યું હતું. લોકદરબાર મા લોકોના પ્રશ્નો સાંભળ્યા તથા લોકોની સમસ્યા જલ્દી ઉકેલાય તે માટે જેતે વિભાગ ના અધિકારીઓને સૂચના આપી. આ પ્રસંગે વહિવટીય અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : વિજય વસાણી  આટકોટ)

(11:34 am IST)