Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મોરબીમાં કોરોનાના નવા ૧૬ કેસ, ૨૦ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી તા. ૬ : મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે જેમાં કોરોનાના નવા ૧૬ કેસો નોંધાયા છે જયારે ૨૦ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૨ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં તેમજ હળવદ અને ટંકારા તાલુકામાં ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૬ કેસો નોંધાયા છે.

જયારે વધુ ૨૦ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૨૮૧ થયા છે જેમાં ૧૪૨ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૦૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:31 am IST)