Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કચ્છના ચૌહાણ પરિવાર દ્વારા દ્વારકાધીશ જગતમંદિરમાં સોનાનો હાર અર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૬: દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષ દરમ્યાન ભાવિકો દ્વારા ઠાકોરજીને રોકડ ઉપરાંત અલંકારોની ભેટ ચઢાવવામાં આવતી હોય છે. કચ્છના માધાપર ગામના પ્રજ્ઞાબેન નાનાલાલ ચૌહાણ પરિવાર દ્વારા દ્વારકાધીશના શ્રીચરણોમાં અદાજે ૬૧.૪૦૦ ગ્રામ સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ચૌહાણ પરિવારને ભગવાનનું ઉપરણુ ઓઢાડી સન્માનિત કરાયો હતો. (તસ્વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(11:25 am IST)