Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જુનાગઢ : વાકુનીધારમાં પૂ. રામબાલકદાસ બાપુના હસ્તે અરવિંદભાઇ રવિયાનું સન્માન

જુનાગઢ : તાજેતરમાં જ અમદાવાદ એમ.ટી. વિભાગ એએસઆઇ તરીકે ફરજ બજાવી વયમર્યાદાના લીધે નિવૃત થયેલ અરવિંદભાઇ રવિયાએ અમરેલી જીલ્લાના વાકુની ધાર ખાતે આવેલ પંચમુખી હનુમાનની જગ્યાએ જઇ મહંત પૂ. રામબાલકદાસબાપુ ના આશિર્વાદ લીધા હતાં અને પૂ. બાપુએ સાલ ઓઢાડી અને અરવિંદભાઇનું સન્માન કર્યું હતું. ત્યારે શ્રીમતી અસ્મિતાબેન રવિયા પણ ઉપસ્થિત રહ્યા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:23 am IST)