Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મોરબી સિરામીક એશો.પ્રમુખ નીલેશભાઇની ગુજરાત ચેમ્બરની ફોરેન ટ્રેડ કમિટીમાં વરણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬ :  મોરબી સિરામિક એસોના પ્રમુખ તરીકે કાર્યરત નીલેશભાઈ જેતપરિયાની તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમિટીના વર્ષ ૨૦૨૦-૨૧ ના મેમ્બર તરીકે નિમણુક કરવામાં આવી છે ત્યારે નીલેશભાઈ જેતપરિયાને અભિનંદન પાઠવી અને તેમની વરણીને પણ આવકાર મળી રહેલ છે.

વૈદ્યસભા અને બીએએમએસ એશો. દ્વારા ધન્વન્તરી પૂજન

વૈદ્યસભા તથા બીએએમએસ એસોસીએશન દ્વારા તા. ૧૩ ને શુક્રવારે રાત્રીના ૩ કાયાજી પ્લોટ જયાબેન અંબાલાલ પટેલ ધન્વન્તરી ભવન ખાતે ધન્વન્તરી પૂજન કાર્યક્રમ યોજાશે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ જોશી પૂજન કરાવશે તેમ મોરબી વૈદ્યસભા પ્રમુખ ડો. બી કે લહેરૂ, મહામંત્રી ડો. ચેતન અદ્યારાની યાદીમાં જણાવ્યું છે.

ચક્ષુદાન

મોરબીમાં રહેતા મનસુખભાઈ ભગવાનજીભાઈ વીરસોડીયાનું અવસાન થયું હતું અને સ્વજનના અવસાન બાદ પરિવારજનોએ તેમની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં પરિવારે સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કર્યું હતું સરકારી આંખની હોસ્પિટલના સુરેશભાઈ કાલરીયાની ઉપસ્થિતિમાં ચક્ષુદાન પ્રક્રિયા કરવામાં આવી હતી ડો. રાહુલ કોટડીયાએ પરિવારજનોને પ્રેરણા પૂરી પાડી હતી.

(11:21 am IST)