Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

નવલખી બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું મોરબીમાં એનડીઆરએફ ટીમ પણ તૈનાત: તંત્ર એલર્ટ

માછીમારોને પણ દરિયો ના ખેડવા સુચના આપી દેવાઈ

મોરબી : મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે મોરબીમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાને પગલે મોરબીના નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે

  મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે અગાઉ ૨ નંબરનું સિગ્નલ કાર્યરત હતું મહા વાવાઝોડું દસ્તક દે તેવી શક્યતાને પગલે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવ્યું છે તેમજ માછીમારોને પણ દરિયો ના ખેડવા સુચના આપી દેવામાં આવી છે

(7:38 pm IST)