Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

'મહા ' વાવાઝોડાની અસરને પગલે દ્વારકા જિલ્લાના ઓખા ,સલાયા અને વાડીનાર બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

વહીવટરી તંત્ર એલર્ટ : માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

દ્વારકા : મહા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયામાં જોવાઈ છે દરિયામાં કરંટ જોવાયો છે ઉંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં તેની અસર જોવા મળતા  દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા તેમજ વાડીનાર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. આ પહેલા બે નંબરનું સિગ્નલ હતુ. પરંતુ હવે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે

(7:18 pm IST)