Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મોરબીના ઉમીયાનગર પાસે રેલ્વે પાટા ઉપરની મનીષભાઇ નિમાવતની લાશ મળી

મોરબી, તા.૬: મોરબીના ઉમિયાનગર નજીકથી એક આઘેડનો રેલ્વે ફાટક પરથી મૃતદેહ મળી આવતા મોરબી બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ઉમિયાનગર નજીકથી પસાર થતા રેલ્વે પાટા પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ થતા તપાસ કરતા મૃતક મનીષભાઇ હસમુખભાઇ નિમાવત (ઉ.વ.૪૧) હોવાનું જાણવા મળ્યું છે. મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:25 pm IST)